મંડળની અન્ય પ્રવૃત્તિઓ
1) દર મહિને જરૂરિયાતમંદ 550-600 કુટુંબોને અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે.
2) શ્રી જલારામ સત્સંગ મંડળ, મુલુંડ નવિનમંજુ કાર્યાલયમાં ટી.બી.ના દર્દીઓ તથા અન્ય રોગો માટે રવિવારે ડોક્ટર તપાસીને મામૂલી દરે દવાઓ આપે છે.
3) હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલના નામે ચેકથી નાતજાતના ભેદભાવ વગર આર્થિક સહાય આપવામાં આવે છે.
4) દર વર્ષે ધોરણ 1 થી 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળાના નામે શિક્ષણ સહાય માટેના ચેકો નાતજાતના ભેદભાવ વગર આપવામાં આવે છે.
નિર્માણ હેઠળના શ્રી જલારામ મંદિરમાં આવેલ સંકુલમાં આવતા 7-8 માસમાં ઉપરની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટે શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ કટીબદ્ધ છે. |